Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈ પત્રકાર પરિષદ યોજી : જુઓ શું કહ્યું…

ભરતસિંહ સોલંકી

મને મારી પત્ની સાથે છુટાછેડાની રાહ જોવું છું, મારે હજી ત્રીજા લગ્ન પણ કરવા છે : ભરતસિંહ

ચુંટણી આવે એટલે કંઈક ને કંઈક ચાલુ થઈ જાય છે, રામનું મંદિર બને અને ભરતને ન ગમે એવું થાય ખરું : ભરતસિંહ સોલંકી

રેશ્મા પટેલને મારી મિલકતમાં રસ છે, દોરાધાગા કરાવીને હું ક્યારેય મરીશ તેવું પુછે છે : ભરતસિંહનો ખુલાસો

આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો રંગરેલીયાનો કથિત વિડીયો વાયરલ થતાં ફરી વિવાદમાં સપડાયા હતા, અને તેઓની છબિ ખરડાવા પામેલ. જે અંગે બે દિવસ અગાઉ વાયરલ વિડીયો અંગે પરસ્ત્રી સાથેના સંબંધને લઈ આજે ભરતસિંહ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી.

તેઓએ પત્રકાર પરિષદ યોજતાં જણાવેલ કે, મારી પત્ની રેશ્મા પટેલને મારી મકાન-મિલકતમાં રસ છે, મારી ૩૦ વર્ષની કારકિર્દીને ખતમ કરવાના પ્રયાસ તે કરી રહી છે, હું તેની સાથે છુટાછેડાની રાહ જોઈ રહ્યો છું, હજી મારો ત્રીજા લગ્ન કરવાનો વિચાર છે. તેમજ રાજકારણમાંથી થોડો સમય મારે વિરામ લેવો છે, એ મારો અંગત નિર્ણય રહેશે.

વધુમાં જણાવેલ કે, ચર્ચા કરતાં મને દુઃખ થાય છે કે મારા વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડી રહી છે, ખુલાસો કરવા મારે મિડીયા સમક્ષ આવવું પડ્યું, હાલમાં વાયરલ વિડીયો થઈ રહ્યો છે, જેમાં હું આઈસક્રીમ વિદ્યાનગર રોડ ઉપર ખાવા ગયેલ, એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયેલ, મને સ્વીકારવા તૈયાર કોઈ હશે તો મારે ત્રીજા લગ્ન પણ કરવા છે, હું રેશ્મા પટેલ સાથે છુટાછેડાની રાહ જોવું છું, મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું રહેશે કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં. મારી પત્ની મારી ૩૦ વર્ષની કારકિર્દીને ખતમ કરવાના પ્રયાસ કરી રહી છે, મારે છુટાછેડા જોઈએ છે, તેને મારા મિલકતમાં જ રસ છે.

Other News : ઓવરટેક મામલે બાઈકચાલક પર હુમલો કરતા આણંદ MLAના બંને દિકરાઓ સામે પોલિસે ગુનો નોંધ્યો

Related posts

વડતાલ સંસ્થાની વીઆઇપી યાત્રિક ભુવનની પ૦૦ રૂમ કવોરોન્ટાઇન દર્દીઓની સારવાર માટે રીઝર્વ…

Charotar Sandesh

રાજ્યની ર૦ નગરપાલિકામાં રેલવે ક્રોસિંગ ઉપર ૧૬ ઓવરબ્રિજ અને ૧૦ અંડરબ્રિજ બનશે…

Charotar Sandesh

સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૨.૩૪ મીટરે પહોંચી…

Charotar Sandesh