Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંતરામ નર્સિંગ કોલેજમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો

નર્સિંગ કોલેજ

તા. ૧૫-૦૨-૨૦૨૪ ગુરુવારના રોજ ઉમરેઠમાં ખ્યાતનામ સંતરામ નર્સિંગ કોલેજમાં GNM પ્રથમ વર્ષના તથા ANM પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નર્સિંગ કોલેજના ચેરમેન વજેસીંગ અલગોત્તર, ટ્રસ્ટી સી.આર.પરમાર, જીગ્નેશ મારુ, પિનલ પટેલ, ડૉ. રોહનભાઈ, ડૉ. શ્રેયાબેન અને સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ શપથ લઈને સારા નર્સ બનાવાનો નિર્ણય લીધો હતો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ સ્ટાફના શિક્ષિકાબહેનો સોનિયાબેન, વિરલબેન, દેવાંશીબેને કર્યું હતું તથા માર્ગદર્શન નર્સિંગ કોલેજના આચાર્ય આલ્ફેડ ક્રિશ્ચિયને આપ્યું હતું. કાર્યક્રમના અંતમાં આચાર્ય આલ્ફેડસરે સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Other News : વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ

Related posts

કોરોનાથી સારવાર દરમિયાન ખંભાતના એક દર્દીનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોત…

Charotar Sandesh

કરમસદ નગરપાલિકાની ઉંઘ ઉડી : કરમસદ-જોળ માર્ગનું ૧૦ દિવસમાં સમારકામ કરવા જિલ્લા કલેકટરે કડક સુચના આપી

Charotar Sandesh

આણંદ જિલ્લામાં એક કેસ નોધાયો : હાલ બે દર્દીઓ સારવાર હેઠળ : કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૯…

Charotar Sandesh