Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં તારાપુરમાં બંધનું એલાન : પોલિસનો સંપૂર્ણ બંદોબસ્ત

ધંધુકામાં યુવકની હત્યા

આણંદ : અમદાવાદના ધંધૂકામાં ૨૫ તારીખે ધોળા દિવસે બાઈક ઉપર આવેલી બે વ્યક્તિઓએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યાં છે.

કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તારાપુર પોલીસ પણ સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવ્યો

ત્યારે તારાપુરમાં ગત રોજ હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રીત થઈ મૌન રેલી યોજી તારાપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ઝડપી ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી હતી. તેમજ આજ રોજ તારાપુર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જેમાં નગર બંધના આહવાનનો સજ્જડ પ્રતિસાદ જણાયો હતો.

હત્યાના આરોપીઓ અને ષડયંત્રમાં ઝડપાયેલા ઈસ્લામિક કટ્ટરપંથી તત્વો અને હત્યારાઓને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવી હતી.

Other News : ધંધૂકા હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો

Related posts

મહામહિમ આચાર્ય શ્રીદેવવ્રતજીના કોરોના સેવા યજ્ઞમાં વડતાલ મંદિર સહયોગી બન્યું…

Charotar Sandesh

કોંગી કાઉન્સીલર સહિત ૬ શખ્સો નાપાડમાંથી જુગાર રમતાં ઝડપાયા

Charotar Sandesh

બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ આણંદ જિલ્લા પોલિસ પણ એક્શનમાં : આ જુદી-જુદી જગ્યાએ દારૂના અડ્ડા પર રેડ કરાઈ

Charotar Sandesh