Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ૬ વિધાનસભામાં આજે કુલ ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા : આ બેઠકમાંથી એકપણ નહીં

વિધાનસભા બેઠક

ભાજપના આણંદના ઉમેદવાર યોગેશ પટેલ (બાપજી), ઉમરેઠના ગોવિંદભાઈ પરમાર, સોજીત્રાના વિપુલભાઈ પટેલ ફોર્મ ભર્યું

આંકલાવ વિધાનસભા બેઠક પર હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી

આણંદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકોમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થયા છે, ઉમેદવારી પત્રો ભરવાના આજના છઠ્ઠા દિવસે તા. ૧૫/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ જિલ્લાની વિધાનસભાની ૭ પૈકી ૬ બેઠકો ઉપર ૨૩ ઉમેદવારોના કુલ મળી ૩૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા.

(૧) આણંદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે યોગેશભાઇ રવજીભાઇ પટેલે ૪ ઉમેદવારી પત્રો, નિતાબેન ભરતભાઇ સોલંકીએ ૧ ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાન્તિભાઇ મણીભાઇ સોઢા પરમારે ૨ ઉમેદવારી પત્રો તથા AAPના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતભાઇ સેડલીયા અને મેહુલકુમાર વિનોદભાઇ વસાવાએ ૧-૧ ઉમેદવારી પત્રો ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

(ર) ખંભાત વિધાનસભા બેઠક ઉપરથી આજે કુલ ૫ ઉમેદવારી પત્રો ભરાયા હતા. (૩) બોરસદ વિધાનસભા બેઠક ઉપર આજે ૪ ઉમેદવારોએ કુલ ૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા. (૪) ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે ૩ ઉમેદવારોએ કુલ ૬ ઉમેદવારી પત્રો ભરાયા હતા.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ રઇજીભાઇ પરમારે ૪ ઉમેદવારી પત્રો, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જયંતભાઇ રમણભાઇ પટેલે ૧ ઉમેદવારી પત્ર અને AAPના ઉમેદવાર તરીકે બિન્દલ મહેશકુમાર લખારાએ ૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. (પ) પેટલાદ વિધાનસભા બેઠક પર આજે ૧ AAPના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડે નામાંકન પત્ર ભર્યું હતું.

(૬) સોજીત્રા વિધાનસભા બેઠક પર આજે ૫ ઉમેદવારોએ કુલ ૯ ઉમેદવારી પત્રો ભર્યા હતા. (૭) આંકલાવ વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારી પત્ર ભરાયું ન હોવાનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું છે.

Other News : ગુજરાત ચૂંટણીમાં મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાને લઈ આવ્યા સમાચાર, જુઓ

Related posts

ઉમરેઠ : શ્રી સંતરામ મંદિરમાં સાકર-બોર ઉછામણી કરી ભક્તોએ બાધા પૂર્ણ કરી…

Charotar Sandesh

લાંભવેલમાં દારૂના નશામાં ચૂર પૂર્વ જમાઇએ વૃદ્ધ સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર…

Charotar Sandesh

Breaking : આણંદ-નડિયાદ સહિત ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ…

Charotar Sandesh