ન્યુ દિલ્હી : આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ (CM kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત એક દિવસીય ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં અમદાવાદ ખાતે યુવાનો તેમજ આઉટસોર્સિંગના કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સાથે સાંજે શાહીબાગ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ સાથે પણ બેઠક કરેલ હતી.
વાલ્મિકી સમાજના ઘરે જમવા માટે આવશો? : સફાઈ કર્મચારીએ અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપેલ
આ દરમ્યાન હર્ષ સોલંકી નામક યુવાને સીએમ કેજરીવાલ (CM kejriwal)ને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપેલ હતું. જે બાદ અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપેલ હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચશે તેમજ સાંજે સીએમ કેજરીવાલ તેમના પરિવાર સાથે ડિનર કરશે.
Other News : આણંદ જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે