Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત ૩ના કરૂણ મોત

અકસ્માત

મોરબીના હળવદમાં ત્રિપલ અકસ્માતમાં ૧નું મોત, ૧૨ ઇજાગ્રસ્ત

આણંદ : આણંદના તારાપુરની મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા ૩ લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો તેમજ૧ વૃદ્ધનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ત્રણેય મૃતકો અમરેલીના રાજુલાના વતની હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં અન્ય ૫ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે

તો બીજી તરફ મોરબીના હળવદમાં પણ ત્રિપલ અકસ્માતની ઘટના બની છે આ વિચિત્ર અકસ્માતમાં ટ્રેલર, ઇકો કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એખ વ્યક્તિનું મોત થયું હતું અને ૧૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોનો હલવદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇકો કારમાં સવાર જામનગરના વ્યક્તિનું મોત થયું હતું.

Other News : ટીમ ઈન્ડીયા હવે વર્લ્ડ ચેમ્પિયન બનવાથી બે કદમ દૂર, પાકિસ્તાન સામે ફાઈનલમાં કઈ ટીમ આવશે ?

Related posts

કોરોનાને લઈ આણંદનું તંત્ર થયું સતર્ક : જિલ્લામાં કેટલાંક નિયંત્રણો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું

Charotar Sandesh

સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ : ૧પ થી ૧૮ વર્ષના કિશોરોને રસીકરણ અંગે જિલ્લા વહીવટી-આરોગ્ય તંત્રએ કરી આ અપીલ, જાણો

Charotar Sandesh