Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આફ્રિકા – વડતાલધામ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વ . હિરાબાને વ્યાસપીઠ પરથી શ્રદ્ધાંજલિ અપાઈ

પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલતાબાનું આફ્રિકામા પ્રથમ મંદિર તૈયાર થયું છે. આ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા ૨૮-૧૨-૨૨ થી ૩-૧-૨૩ સુધી ચાલી રહ્યો છે.

આ પ્રસંગે વડતાલદેશના ગાદિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ૯૯ સંતો સાથે વિદેશ સત્સંગયાત્રાએ છે. આજે વ્યાસપીઠ પરથી સરધાર નિવાસી પૂજ્ય શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સ્વ. શ્રીહિરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારતના ગૌરવસમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા ધર્મવીર રાજપુરુષના જનેતા હિરાબા આદરણીય છે, તેમનું જીવન પેઢીઓ સુધી પ્રેરક બની રહેશે એમ કહીને સ્વામિનારાયણ મહામંત્રની ધુન કરીને એક સાથે ત્રણ હજાર બિન નિવાસી ભારતીય ભક્તોએ આફ્રિકાની ધરતી પરથી હીરાબાને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.

Other News : ચેતજો : આજે ૩૧મી ડિસેમ્બરને લઈ રાજ્યમાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવા DGPએ સુચના આપી

Related posts

આણંદ જિલ્લા કક્ષાના મેગાજોબ ફેર યોજાયો

Charotar Sandesh

નડિયાદ ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ સંપન્ન

Charotar Sandesh

હાઈવે નજીક ડીઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને મારક હથિયારો સાથે ઝડપી પાડતી વાસદ પોલીસ

Charotar Sandesh