MLA ચિરાગ પટેલે મિડીયાને જણાવ્યું કે, કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે
આણંદ : જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે, આ સાથે આણંદના રાજકારણમાં ચકચાર મચી છે.
આ અંગે ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારનો લોકોની લાગણીને ધ્યાને આપીને તેઓ કહેશે તે પ્રકારે કરીશ તેમ જણાવ્યું હતું.
Other News : વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે ૨૦૪મી વચનામૃત જયંતિ નિમિત્તે ઉજવણી