Charotar Sandesh
આર્ટિકલ યૂથ ઝોન

Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી

વરસાદની ભાષા

પાંદડે પાંદડે ટહૂકા ફૂટે અને,
વૃક્ષ બને રજવાડું.
વાદળ કેરા મહેરામણ ઉમટે અને,
પવન લાવે ચોમાસું.

પંખીઓના કલરવ અને પવનનાં તાણાવાણા થકી પ્રકૃતિને મનાવવા માટેના સુંદર આભુષણો તૈયાર થાય છે. અને જગત પિતા પ્રકૃતિને એ પહેરાવવા સાક્ષાત વરસાદનું અલૌકિક રૂપ ધારણ કરે છે

આકાશ પૃથ્વી પરના અસંખ્ય સજીવોની વણ કહેલી વેદનાને સાંભળી શકવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ એકઠી થયેલી અઢળક વેદનાઓનો જવાબ વરસાદથી આપે છે. અને વરસાદ તમામ મોરચે લડી લેવાનો મિજાજ ધારણ કરી લે છે. વેદના ઝીલતો સાગર એટલે જ તો ફૂંફાડા મારે છે. વરસ્યા પછીનું આકાશ કેવું શાંત અને આલ્હાદક દીસે છે.

જો વરસાદ અલગ અલગ મિજાજ ધરાવતો ન હોત તો તેની વરસવાની રીત અલગ અલગ ન હોત. વરસાદ અલગ અલગ મિજાજ ધરાવે છે કારણકે તે આકાશેથી વરસે છે.

ધરતીને નદીની અને નદીને સાગરની અને સાગરને વરસાદ ની ગરજ હોય છે. પરંતુ વરસાદ આઝાદ છે. છતાં તે ગરજનો દુરુપયોગ કરતો નથી અને યુગોથી એના ઋતુચક્ર મુજબ આવી પહોંચે છે.

પૃથ્વી પર રહેલી નદી નાળાં તથા ભૂમિની ગંદકી અરે મનુષ્યના ચારિત્ર્ય ની ગંદકી પણ વરસાદ તેની ઉદારતા અને કુશળતાથી સ્વચ્છ કરે છે.અને એટલે જ પ્રથમ વરસાદમાં ન ભીંજાતા માણસને ચારિત્ર્યહીન કહેવું અયોગ્ય નથી જ. આપણને સુંદર ચારિત્ર્ય બક્ષનાર આ અમૂલ્ય વરસાદ હકીકતમાં આપણને સાવ મફત મળે છે. એ આપણું સનાતન સૌભાગ્ય છે.

વરસાદી વાતાવરણમાં ક્યારેક તો મોરનાં ટહૂકા અને વરસાદ વચ્ચે કર્ણપ્રિય સ્પર્ધા જામે છે. પવન પોતાની ધૂનમાં નાચે છે ત્યારે ફુલોનો હરખ સમાતો નથી. પ્રત્યેક વરસાદી ટીપાંનું પૃષ્ઠતાણ એ રીતે ગોઠવે છે કે, પ્રત્યેક ટીપું એની નિશ્ચિત જગ્યાએ જ પડે અને વહે. આકાશ વરસાદનો ઉપકાર વહેવડાવે છે અને એટલે જ મજબૂરીમાં ભગવાનને યાદ કરી હે ભગવાન! બોલતો માણસ એક આશાભરી નજર આકાશ ભણી કરતો હોય છે.

લિ. એકતા ઉપેન્દ્રકુમાર ઠાકર
આચાર્યાશ્રી બામણગામ કન્યા પ્રા શાળા, બામણગામ
તાલુકો-આંકલાવ, જિલ્લો-આણંદ

Other Article : વિશ્વમાં એવું કોઈ બીજું બખ્તર નથી કે જે પિતાની હાજરી ને અતિક્રમી શકે છે…

Related posts

દેશની શૌર્ય ગાથાને સલામી અર્પણ કરવાનો અવસર એટલે “સ્વાતંત્ર્યદિન પંદરમી ઓગષ્ટ”

Charotar Sandesh

ઘરમાં આ છોડને રાખવાથી ચમકી જાય છે કિસ્મત, કંગાળને પણ બનાવી દે છે માલામાલ…

Charotar Sandesh

અઢળક પ્રેમ આપતાં આવડે અને મબલખ પ્રેમ ઝીલતાં આવડે એવા દેવ એટલે કૃષ્ણ

Charotar Sandesh