Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઠંડી વધતા કોરોના સંક્રમણ વધી શકે છે : આણંદ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં વધુ બે કેસ

કોરોના સંક્રમણ

દિવાળીની ઉજવણી ભારે ન પડે તે માટે તકેદારી રાખવી જરૂરી

આણંદ : જિલ્લામાં તહેવારોનો માહોલ જામ્યો છે, ત્યારે દિવાળીની ઉજવણી માટે લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ કેસમાં ઉછાળો આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ૫ કેસ સાથે સપ્તાહમાં ૭ નવા દર્દી નોંધાયા છે. જેમાં ૭૦ ટકા સિનિયર સિટીઝન અને બે યુવતીઓનો સમાવેશ થાય છે.

આ સાથે આણંદ જિલ્લામાં ગત વર્ષે પણ ઓકટોબર માસ બાદ ઠંડીનું જોર વધતાં કોરોના સંક્રમણે એકાએક માથું ઉચકયું હતું. દિવાળી બાદ તો કોરોના સંક્મણે માથું ઉંચકતા દૈનિક સરેરાશ ત્રણથી ચાર કોરોના કેસ નોંધાતા હતા. ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત થઇ છે. તે સમયે જ કેસ વધી રહ્યા છે તે ચિંતાની બાબત છે. છેલ્લા એક સપ્તાહની સ્થિતિ પર નજર કરી તો આણંદ શહેરમાં ૪ , કરમસદમાં ૩ અને એક ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાયો છે.

જિલ્લામાં છેલ્લા પોણા બે વર્ષમાં ૯૬૩૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૯૫૮૧ લોકો સ્વસ્થ થતાં રિકવરી રેટ ૯૭ ટકા છે. હાલમાં ૭ કોરોના દર્દીઓમાંથી ૩ હોસ્પિટલમાં છે અને બાકીના હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય વિભાગ દૈનિક ૧૨૦૦ વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરી રહ્યો છે.

Other News : કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની આણંદમાં પ્રેરક ઉપસ્‍થિતિમાં ઉજવણી

Related posts

આણંદ : કોરોનામાં મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયની માંગણી સાથે કોંગ્રેસની કોવિડ ન્યાયયાત્રા યોજાઈ

Charotar Sandesh

ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિ. મંદિરમાંથી ૫૦ લાખની ૨ હજારની નકલી નોટો ઝડપાઈ…

Charotar Sandesh

તીર્થધામ વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો

Charotar Sandesh