Charotar Sandesh
ગુજરાત

દિવાળીમાં વેકેશન કરી આવતા ફરીથી કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે

દિવાળીમાં વેકેશન

સુરત : સુરતના લોકો દિવાળીના વેકેશનમાં વિવિધ રાજ્યોમાં ફરીને પરત આવે ત્યારે તેઓએ કોરોના ટેસ્ટ, RTPCR ફરજિયાત કરવાનો રહેશે એવું જાહેર કરાયું છે. જેને પગલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોના મ્યુનિસિપલ કમિશનરો પણ વિચારતા થઈ ગયા છે.

એટલુંરૂ જ નહીં, અન્ય બાબુઓ પણ ચર્ચા કરી રહ્યાં છે કે, વાસ્તવમાં તો આ નીતિવિષયક નિર્ણય છે. જેથી સમગ્ર રાજ્યના લોકો માટે આ પ્રકારનો નિર્ણય લેવાનો હોય અને આવો નિર્ણય સરકાર સ્તરેથી જ લેવાનો થાય છે. સચિવાલયમાં હાલમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, આ નિર્ણય લીધો કોણે ?

બીજી બાજુ સરકારના આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓએ તમામ લોકો માટે આ પ્રકારનો નિર્ણય લેવા માટેની વિચારણા કરવા બેઠકનો ધમધમાટ શરૃ કર્યો છે. જો કે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે જોવાનું એ રહે છે કે, આવો નિર્ણય રાજ્યના તમામ આઠ મહાનગરો માટે લેવાય છે કે નહીં.

Other News : આણંદ : NRIના પ્રશ્નોનો ડીઝીટલ માધ્યમથી ઉકેલ આવે તે માટેની એપ્લીકેશન લોન્ચ કરાઈ

Related posts

વડતાલ–અમદાવાદ સ્વામિનારાયણ મંદિર તથા ગુરૂકુળો દ્વારા રાહતનીધીમાં રૂા. ૩.૭૦ કરોડની સહાય…

Charotar Sandesh

ગુજરાત કૉંગ્રેસ દરેક શહેરમાં ઝોન પ્રમુખોની નિમણૂક કરશે…

Charotar Sandesh

આઈપીએલ ૨૦૨૨ના પ્લે ઓફ મુકાબલા અમદાવાદ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

Charotar Sandesh