Charotar Sandesh
ગુજરાત

શિક્ષકોની ભરતી અંગે ગુજરાત હાઇકોર્ટે શિક્ષણ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી

ગુજરાત હાઈકોર્ટ (High court)

અમદાવાદ : ધોરણ ૧ થી ૫ના શિક્ષકો ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને પણ ભણાવતા હોવાના કિસ્સાઓ મામલે ગુજરાત હાઈકોર્ટ (High court)માં અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા આવા શિક્ષકોને મંજૂરી અપાતી હોવાના દાવા સાથે કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ (High court) એ સરકારના શિક્ષણ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આ અંગે અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યની સ્કૂલોમાં લાયકાત વિનાના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટ (High court) સમક્ષ આવેલા કેસમાં કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, પ્રથમ દર્શનીય સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મૂકી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ધોરણ ૧ થી ૫માં ભણાવતા શિક્ષકોને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી આપી શકાય નહીં. તમે કાયદાનો ભંગ કરી રહ્યાં છો. કાયદો આવી કોઈ જ બાબતની મંજૂરી આપતો નથી.

આટલું જ નહીં, ચાલુ સુનાવણીમાં કોર્ટે પ્રાઈમરી એજ્યુકેશન ડિરેક્ટરનો ફોન કરીને ટકોર કરી હતી કે, જો શિક્ષકો ના મળતા હોય, તો નવી ભરતીઓ બંધ કરો. આ રીતે ગેરલાયક શિક્ષકો બાળકોને ભણાવવા કેવી રીતે મોકલી શકાય? એકપણ દિવસ કોઈ ગેરલાયક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવા ના જવો જોઈએ.

Other News : રાજ્યના આ શહેરમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ : શાળા બંધ કરાવાઈ

Related posts

ડ્રીમ પ્રોજેક્ટ થંભ્યો : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતા…

Charotar Sandesh

ગુજરાત ભાજપની બાગડોર નવસા૨ીના સાંસદ સી.આર.પાટીલના હાથમાં…

Charotar Sandesh

પાસપોર્ટ વેરિફિકેશન માટે પૈસા લેતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ…

Charotar Sandesh