ગાંધીનગર : હાઈકોર્ટના ચૂકાદા પૂર્વે સંવેદનશીલ સ્થળો પર કોઈ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટ આજે એટલે કે મંગળવારે હિજાબ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવશે.
કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હિજાબને ઈસ્લામનો ફરજિયાત ભાગ નહીં માનવા અને સ્કૂલોમાં ડ્રેસ જ પહેરવાનો નિર્ણય આવ્યા પછી રાજ્યની એક કોલજની વિદ્યાર્થીનીઓએ પરિક્ષાનો બહિષ્કાર કરી દીધો છે.
હિજાબ પહેરેલી આ વિદ્યાર્થીનીઓ કોર્ટનો ચુકાદો આવતા જ એક્ઝામ હોલની બહાર આવી ગઈ હતી
હિજાબ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેંચમાંથી રાજ્યના એડવોકેટ જનરલ પ્રભુલિંગા નવદગીએ જણાવ્યું હતું કે, અમારું વલણ એવું છે કે, હિજાબ આવશ્યક ધાર્મિક પરંપરા નથી. ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે ’આપણે આપણા ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જોઈએ.
Other News : ગુજરાત પોલિસની આજે હેલ્મેટ ડ્રાઈવ પુર્ણ : જાણો છેલ્લા ૮ દિવસમાં પોલીસે કેટલી પેનલ્ટી ઉઘરાવી