Charotar Sandesh
ગુજરાત

વિદેશમાં ફેલાયેલ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સનાં ભાડાં ત્રણ ગણા વધ્યાં

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ

અમદાવાદ : વિદેશમાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ ૧૫ ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરૂ કરવાના ડીજીસીએના નિર્ણયની ફરીથી સમીક્ષા કરવા સરકારે સૂચના આપી છે. જેને કારણે અનેક દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યા છે.

આ પરિસ્થિતિ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ પર ગમે ત્યારે પ્રતિબંધ આવે એ પહેલાં અભ્યાસ કરવા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો જે-તે દેશમાં પહોંચી જવા માગે છે, જેને પગલે આ દેશોમાં જતી ફ્લાઈટના ભાડામાં અઢીથી ત્રણ ગણો વધારો નોંધાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોવાથી હાલ કેનેડાની ટિકિટ માટે ત્રણ લાખ રૂપિયા સુધી ખર્ચવા છતાં વિદ્યાર્થીઓને ટિકિટ મળતી નથી.

ડોમેસ્ટિક ફ્લાઈટોના બુકિંગમાં પણ ૨૦થી ૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે

અમદાવાદના ફ્લાઈટ ટિકિટ બુકિંગ એજન્ટોએ જણાવ્યું હતું કે છેલ્લા ૪ દિવસથી ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બુકિંગ કરાવવા માટે લોકો દુવિધામાં છે તથા હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. એ જ રીતે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બુકિંગ કરાવી ચૂકેલા લોકો પણ દુવિધા અનુભવી રહ્યા છે. ગમે ત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર પ્રતિબંધ આવે એવી શક્યતા વચ્ચે અનેક લોકો ટિકિટ કેન્સલ કરાવવી કે નહીં એ અંગે પૂછપરછ કરી રહ્યા છે.

વધુ માં જણાવ્યું હતું કે ૧૫ ડિસેમ્બર સુધીમાં અનેક દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મુકાવાની શક્યતા વચ્ચે તેમની ઓફિસે સોમવારે જ ૨૫ જેટલા લોકોએ ટિકિટ કેન્સલ કરાવવા માટે પૂછપરછ કરી હતી. વધુમાં તેમની એજન્સીમાં દિવાળી દરમિયાન રોજની ૬૦ લાખથી ૭૦ લાખ રૂપિયા સુધીની કિંમતની ટિકિટો બુક થઈ હતી. જ્યારે સામાન્ય દિવસોમાં રોજની ૪૦ લાખથી ૫૦ લાખ રૂપિયાની કિંમતની ટિકિટો બુક થાય છે, પરંતુ છેલ્લા ૩-૪ દિવસથી બુકિંગમાં ઘટાડો થવાની સાથે સોમવારે આશરે ૨૫ લાખ રૂપિયાની કિંમતની ટિકિટો જ બુક થઈ હતી. આમ, ઈન્ટરનેશનલની સાથે ડોમેસ્ટિકટ ફ્લાઈટ્‌સના બુકિંગમાં પણ સરેરાશ ૨૦થી ૨૫ ટકા જેટલો ઘટાડો થયો હોવાની શક્યતા છે.

Other News : ગુજરાતમાં વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ ઉપર નજર, ટેસ્ટીંગ બાદ પણ શંકાસ્પદોને ૭ દિવસ ક્વોરન્ટીન કરાશે

Related posts

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી…

Charotar Sandesh

ગુજરાત-આણંદ-ખેડા : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૯-૦૮-૨૦૨૪

Charotar Sandesh

નમામી દેવી નર્મદેઃ ડેમ ૧૩૮.૬૮ મીટરે છલોછલ ભરાયો…

Charotar Sandesh