Charotar Sandesh
ગુજરાત

જનસેવકની અનોખી જનસંવેદના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગ્રામીણ માતાઓ-યુવા ગ્રામજનો-પ્રાથમિક શાળાના બાળકો અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સહજ સંવાદ-વાતચીત કરી પ્રતિભાવ મેળવ્યા

આંગણવાડીની બહેનો સાથે-રેશન કાર્ડધારક સાથે વાતચીત કરી

વડોદરા : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના સુખાલીપુરાના ગ્રામજનોને શુક્રવારે સવારે થયો હતો.

સુખાલીપુરા ગામમાં હજુ તો લોકો પોતાની દિનચર્યા શરૂ કરે ત્યાં સુધીમાં ત્યાં તો તેમને એક સુખદ આશ્ચર્યનો અનુભવ થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે અમદાવાદથી મોટર માર્ગે સુખાલીપુરા ગામે પહોચ્યા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા.

મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી.

તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી.

મુખ્યમંત્રીશ્રી સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.

Other News : ગુજરાતના ૪૦ હજાર બેન્ક કર્મચારીઓ ૮ માંગણીઓ સાથે બે દિવસની હડતાળ ઉપર ઉતરશે

Related posts

ગુજરાતમાં આ જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાતા હાહાકાર

Charotar Sandesh

સોમવારથી વિધાનસભાનું સત્ર તોફાની બનશે, અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે…

Charotar Sandesh

રાજ્યમાં ચોમાસાની શરૂઆત ૨૧મી જૂનથી થશે, ૯૬થી ૧૦૪ ટકા વરસાદની સંભાવના…

Charotar Sandesh