મોદી ટિ્વટ કરી કહ્યું- એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં
પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી ૮.૩૦ વાગ્યા નીકળી છે, અને સેક્ટર-૩૦ના સ્મશાન ખાતે પહોંચશે. પીએમ મોદી માતા હીરાબાના પાર્થિક દેહને કાંધ આપી અંતિમયાત્રામાં જોડાયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
Other News : ૧૦૦ વર્ષની વયે નિધન માતૃશ્રી હીરાબાની વિદાય : અંતિમસંસ્કાર ગાંધીનગરમાં થશે