કોંગ્રેસ ચાર ધારાસભ્યો અને નરેશ પટેલ હાઈ કમાન્ડે પહોંચ્યા હતા, વડોદરા પરત પહોંચતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે નિવેદન આપ્યું
વડોદરા : રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકારણમાં ઉથલપાથલ સર્જાવા પામી છે, ત્યારે આજે ખોડલધામના નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા છે, જેમાં કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરવાના છે. ત્યારે હવે આગાહી સપ્તાહે નરેશ પટેલ કોંગ્રેસમાં એન્ટ્રી કરે તેવા પોઝીટીવ સંકેત જણાઈ રહ્યા છે. આજે નરેશ પટેલ અને કોંગ્રેસના ચાર જેટલા ધારાસભ્યો હાઈકમાન્ડે પહોંચ્યા હતા, ત્યાંથી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મહત્ત્વપૂર્ણ પોઝીટીવ નિવેદન આપ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલને લઈ વિવિધ ચર્ચાઓ વહેતી રહી છે, ત્યારે આજે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. જેમાં તેઓએ જણાવેલ છે કે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે ૪ કોંગ્રેસના ધારાસભ્યો દિલ્લી ખાતે ગયેલ, જ્યાં નરેશ પટેલે હાઈકમાન્ડ સાથે મુલાકાત કરેલ, જ્યાં મિટીંગમાં પોઝિટીવ સંકેત મળેલ છે.
MLA પ્રતાપ દૂધાતે કહેલ કે, નરેશ પટેલને લઈને આવતા સપ્તાહે નિરાકરણ આવી જશે તેમ છે, દિલ્હી દરબાર સાથે થયેલ બેઠકમાં વાતચીત બાદ મને વિશ્વાસ છે તેઓ કોંગ્રેસમાં જાેડાશે.
Other News : ચક્રવાત અસાનીની અસર વર્તાશે : ૧૧ મે સુધી આ ૧૭ જેટલા રાજ્યોમાં વરસાદની આગાહી-ચેતવણી