Charotar Sandesh
ઈન્ડિયા

PM મોદીએ કહ્યું – અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને ભારતમાં આશરો આપીશું

વડાપ્રધાન મોદી અફઘાનિસ્તાન (Afghanistan)

નવી દિલ્હી : અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિને લઈને PM નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી, જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન (Afghanistan) માં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ PM મોદીએ કહ્યું કે ભારત આવતા દરેક અલ્પસંખ્યકની મદદ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યાં હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓને આગામી દિવસોમાં અફઘાનિસ્તાન (Afghanistan) થી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે તમામ આવશ્યક ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે.એક વરિષ્ઠ અધિકારી મુજબ વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું છે કે ભારતને માત્ર પોતાના નાગરિકોની રક્ષા કરવી જોઈએ, પરંતુ અમે તે શીખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ આશરો આપશે જે ભારત આવવા માગે છે, અને અમે દરેક સંભવ મદદની પ્રદાન કરવી જોઈએ. મદદ માટે ભારત તરફ જોતા આપણાં અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવી જોઈએ.નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે.

NSA અજીત ડોભાલ દ્વારા અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી છે

આ બેઠકમાં પ્રાદેશિક રાજકારણ, રાજદ્વારી સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે એક નિવેદનમાં કહ્યું છે કે તમામ મહત્વના દેશો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન (Afghanistan) માં ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ રહી છે.અલબત અશરફ ગનીએ દેશ છોડ્યો ત્યારબાદ એ બાબત સ્પષ્ટ નથી કે નવી સરકારનું સ્વરૂપ કેવું હશે.બીજી બાજુ ભારત અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. આજે ભારતીય વાયુસેનાનું વિમાન ૧૫૦ ભારતીયોને લઈ દેશ પરત ફર્યું છે.

Other News : ફરી એકવાર વધારો : રાંધણ ગેસ સિલિન્ડના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો ઝીંકાયો

Related posts

લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓના ઝંડા ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો…

Charotar Sandesh

હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા તૈયાર, નારાજ ધારાસભ્યો મારી સામે આવે : ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

Charotar Sandesh

દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું 81 વર્ષની વયે નિધન…

Charotar Sandesh