આણંદ : રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વાદયછાયું વાતાવરણ (rain) સાથે કેટલાક શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે ૧૦ તેમજ ૧૧ જૂને અમદાવાદ-આણંદ-વડોદરા-ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ (rain) ની સંભાવના છે, જેથી તાપમાનમાં ૪થી૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
આ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે, છેલ્લા ૨૪ કલાકમાં ૫ તાલુકાઓમાં વરસાદ (rain) નોંધાયો છે, જેમાં અમદાવાદના ધંધુકા, ધોલેરા સહિત બોટાદ, બરવાળામાં સવા ઈંચ વરસ્યો છે.
ભારતના કેરળમાં આ વર્ષે ૨૯મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થયેલ છે
કેરળમાં વરસાદની શરૂઆત બાદ મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ (rain) વરસતો હોય છે, પરંતુ આ વખતે હવામાન ડિપાર્ટમેન્ટે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરાઈ છે, ત્યારે આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક જિલ્લામાં વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે.
Other News : આણંદ ખાતે આજથી ૧૫ જૂન સુધી ૫૦ સ્ટોલ સાથે પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો મેળો યોજાશે