Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું તિવ્ર અસર : વૃક્ષો-વીજપોલ-હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત

બિયરજોય વાવાઝોડા

ગુજરાતના કચ્છ-પોરબંદર-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં બિયરજોય વાવાઝોડા (biperjoy cyclone)ની અસર વધારે થશે તેમ જણાવાયું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય કરી સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્ર અસર શરૂ થઈ છે, અને આસપાસના ગામોના લોકોનું સ્થળાંતર પહેલા જ કરી દેવાયું છે.

વાવાઝોડા(biperjoy cyclone)ની અસર વર્તાતા હાલમાં દરિયાકાંઠા નજીક વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા છે

હવામાન ડિપોર્ટમેન્ટના મતે બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશે તો પવનની ગતિ ૧૦૦ થી ૧૨૫ કિલોમીટરની હોઈ શકે તેમ છે, જે રાત્રિ સુધીમાં ગુજરાત સાથે ટકરાઈ તેવી સંભાવના વર્તાવવામાં આવી છે. હાલ તો ગુજરાતભરમા પવન ૫૦ કિમીની ગતિએ ફુંકાઈ રહ્યો છે, જેને લઈ ઘણા વિસ્તારોમાં વૃક્ષો-હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી રહી છે.

Other News : રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Related posts

ગુજરાત યુનિ.ને કોમર્સના ૪ રાઉન્ડને અંતે હજુ હજારો બેઠકો ખાલી…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના નવા ૧૫૯૮ કેસ, ૧૫૨૩ દર્દીઓ સાજા થયા : આણંદ જિલ્લામાં રપ નવા કેસ…

Charotar Sandesh

અન્નોત્સવ દિવસ : દિવાળી સુધી ગરીબોને મફ્ત અનાજ આપવાની વડાપ્રધાનની જાહેરાત

Charotar Sandesh