આણંદ : વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ પ.પુ.શ્રીઅવિચલદાસજી મહારાજ સારસા (અખિલ ભારતીય સંત સમિતિ અધક્ષ શ્રી), પ.પુ.શ્રી ગણેશદાસજી મહારાજ (સંતરામ મંદિર ઉમરેઠ) પ. પુ. શ્રી દેવસ્વામીજી (વડતાલ મંદિર ચેરમેન શ્રી) પ. પૂ. શ્રી ભગવતચરણ સ્વામીજી કોઠારી શ્રી (આણંદ BAPS મંદીર) પ. પૂ. શ્રી નારાયણદાસજી સ્વામીજી (ઇસ્કોન મંદિર મહંત શ્રી) તથા સંતરામ મંદિર કરમસદ મંદિરના પૂજ્ય સંત શ્રી મોરારિદાસજી મહારાજ ને શાલ ઓઢાડી દર્શન-પૂજન નો શ્રદ્ધાપૂર્વક લાભ લીધો.
જેમાં આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અઘ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રી ઉમેશભાઇ ઠકકર, જિલ્લા ધર્માચાર્ય સંપર્ક પ્રમૂખ શ્રી યોગેશભાઈ શર્મા, હિતેશભાઈ ચુડાસમા, સુનિલભાઈ બોરીઆવી તથા નિલેશભાઈ પારેખ હાજર રહી સંતોનું સાનિધ્ય પ્રાપ્ત કરી આશીર્વાદ મેળવ્યા.
- Ketul Patel, Anand
Other News : આણંદની પીએમ પટેલ લૉ કોલેજના આચાર્ય પીએચડી થયા