Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

ઘટનાની જાણ થતાં લોકડાઉન પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં દંપતીના ઘરે તાળું જોવા મળેલ હતું…

નડીઆદ : નડિયાદ-આણંદમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર ૧૨માં આવેલ શિવમ ફ્લેટમાં રહેતા કૌશિકભાઈ ચીમનભાઈ મહેતા એમના પત્ની સાથે આણંદથી આવેલ હતા, જેઓને ગતરોજ હોમ કવોરન્ટાઈનમાં રાખવામાં આવેલ હતા. દરમ્યાન તેઓએ ગત રાત્રીનો લાભ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાં લોકડાઉન પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં દંપતીના ઘરે તાળું જોવા મળેલ હતું, જે બાદ જિલ્લાભરમાં દંપતી ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, આ દંપતિમાં કોરોનાના લક્ષણો હશે, તો શહેરમાં અન્ય જગ્યાએ કોરોના સંક્રમિત થવાનો ભય આરોગ્ય તંત્રને હાલ સતાવી રહ્યો છે.

Related posts

વંદે ભારત એક્સપ્રેસે આણંદમાં મહિલાને અડફેટે લીધી : ૩૪ દિવસમાં ટ્રેનનો ચોથો અકસ્માત, જુઓ વિગત

Charotar Sandesh

હવે જાહેર વિતરણ વ્યવસ્થામાં આધાર ઓળખ કરીને જ જથ્થો આપવા આણંદ જીલ્લા પુરવઠા વિભાગની ઝુંબેશ

Charotar Sandesh

ભાજપ મસ્ત, પ્રજા ત્રસ્ત ના સુત્રોચ્ચાર સાથેે આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ-પ્રદર્શન યોજાયું, જુઓ તસ્વીરો

Charotar Sandesh