Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્‍લામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા બેઠક યોજતા કલેક્ટરશ્રી

જિલ્લા કલેક્ટર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવનાર છે

આણંદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવનાર છે. તેને અનુલક્ષીને આણંદ જિલ્‍લામાં હાથ ધરવામાં આવનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણીએ આણંદ સરકીટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧-૮-૨૦૨૧ થી તા. ૯-૮-૨૦૨૧ એમ  ૯ દિવસ સુધી વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો પણ સહભાગી થનાર છે.

રાજ્યમાં વિવિધ સ્થળોએ લોકાર્પણ તેમજ ખાતમુહુર્તનાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૧-૮-૨૦૨૧ નાં રોજ જ્ઞાન શક્તિ દિન, તા.૨-૮-૨૦૨૧ નાં રોજ સંવેદના દિન, તા. ૪-૮-૨૦૨૧ના રોજ મહિલા સશક્તિકરણ દિન,  તા.૫-૭-૨૦૨૧ નાં રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા.૬-૮-૨૦૨૧ નાં રોજ યુવા શક્તિ દિન, તા.૭-૮-૨૦૨૧ નાં રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા.૮-૮-૨૦૨૧નાં રોજ શહેરી જનસુખાકારી દિન અને તા.૯-૮-૨૦૨૧ નાં રોજ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો રાજ્યભરમાં યોજવામાં આવનાર છે.

આણંદ જિલ્લામાં પણ આ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કલેકટર શ્રી દક્ષિણીએ આ બેઠકમાં જિલ્‍લામાં આ દિવસો દરમિયાન યોજવામાં આવનાર કાર્યક્રમોની વન-ટુ-વન સમીક્ષા કરી આ તમામ કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારૂં રીતે પાર પડે તે માટેની તૈયારીઓ અંગે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્‍યું હતું.

શ્રી દક્ષિણીએ બેઠકમાં જણાવ્યું કે, આ અંતર્ગત જિલ્લાના એક પણ લાભાર્થી રહી ન જાય તે માટે વિશેષ કાળજી રાખી સરકારની તમામ યોજનાઓના લાભો છેવાડાના ગામ સુધી પહોંચે તેની તકેદારી રાખવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કરી સંવેદનાપૂર્વક કામગીરી કરવા કહ્યું હતું.

જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિએ ઉપસ્‍થિત તમામ અધિકારીઓને રાજય સરકાર દ્વારા મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્‍યમાં જે જનહિતલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે તેની રૂપરેખા આપી તમામ કાર્યક્રમોનું સુચારૂં અમલીકરણ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્‍યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી પી. સી. ઠાકોર, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્‍લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

આણંદ જિલ્‍લાની ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી માટે નિરીક્ષક તરીકે શ્રી બી.એચ.પટેલની નિમણૂંક

Charotar Sandesh

ખેડા જિલ્લામાં ૨૫૦૦ પોલીસ કર્મી એકસાથે ટ્રેનિંગ લઈ શકે તેવું સેન્ટર બનશે…

Charotar Sandesh

આણંદ : આંગડિયા પેઢી કર્મી પાસેથી ૪૫ લાખની લૂંટ કરનાર ૫ આરોપીઓની ધરપકડ…

Charotar Sandesh