ન્યુ દિલ્હી : એર ઈન્ડિયા (air india) એ તાજેતરમાં જ કોરોનાને અનુલક્ષીને ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે રાજ્ય પ્રમાણેની નવી ગાઈડલાઈન્સ (new guidlines) જાહેર કરી છે.
ગોવા : ગોવામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે કોવિડ-૧૯ની રસીના બન્ને ડોઝ લીધા હોય, કોઈ લક્ષણ દેખાતાં ન હોય તો તેમને માટે ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો જરૂરી નથી. જોકે ૨ વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ લઈ જવો જરૂરી છે. પેસેન્જર તેની મુસાફરીના ૧૪ દિવસ પહેલાં ફુલ્લી વેક્સિનેટેડ હોવો જોઈએ.
ગુજરાત : ગુજરાતમાં આવવા પર RT-PCR ટેસ્ટની જરૂર નથી. જોકે જે પેસેન્જર સુરત જઈ રહ્યા છે તેમણે SMC કોવિડ-૧૯ ટ્રેકર પ્લે સ્ટોરમાંથી ઈન્સ્ટોલ કરવું જરૂરી છે.
આંધ્રપ્રદેશ : કોરાનાનાં કોઈપણ લક્ષણ ન દેખાતાં હોય તેવા પેસેન્જરે પણ અહીં ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે. આસામ : એરપોર્ટ પર ઊતર્યા પછી રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. જો આ ટેસ્ટમાં પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે ૧૪ દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે. પેસેન્જરે પોતાની સાથે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવો ફરજિયાત છે અને સાત દિવસનું હોમ ક્વોરન્ટીન જરૂરી છે.
મહારાષ્ટ્ર : જે પેસેન્જર પાસે નેગેટિવ RT-PCR રિપોર્ટ નહિ હોય તે ફ્લાઈટમાં બેસી શકશે નહિ. જે પેસેન્જર ૭ દિવસ કે તેનાથી ઓછા સમય માટે ટ્રાવેલિંગ કરે છે, તેને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ અપાશે.
દિલ્હી : એરપોર્ટ પર ઊતર્યા પછી તમામ પેસેન્જરનું થર્મલી સ્ક્રીનિંગ થશે અને લક્ષણો ધરાવતા પેસેન્જર્સે ૧૪ દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. રસીના બંને ડોઝ લઈ ચૂકેલા કોઈ લક્ષણ ન ધરાવતા તમામ પેસેન્જરે RT-PCR રિપોર્ટ કરાવવો જરૂરી નથી.
કેરળ : કેરળમાં આવી રહેલા પેસેન્જરે મુસાફરીના ૭૨ કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
જે પેસેન્જરે કોવિડની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેમણે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવાની કે ક્વોરન્ટીન થવાની જરૂર નથી
લક્ષણ ધરાવતા હોય તેવા પેસેન્જરે એરપોર્ટ પર ઊતર્યા પછી ટેસ્ટ કરાવવો જરૂરી છે
Other News : મુખ્યમંત્રી યોગી એક્શનમાં : ઉત્તરપ્રદેશનાં આ ૭ શહેરમાં દારૂ, માંસ નહીં વેચાય