Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ : ચારેક જગ્યાએ પશુના કપાયેલ માસ-મટનના ટુંકડા મળતા ચકચાર

પશુઓના માથા

આણંદ પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા અસામાજીક તત્ત્વો ! બકરી ઈદના દિવસને ધ્યાનમાં રાખી અટકચાળું કરાયાની આશંકા

આણંદ : શહેરમાં શાંતિ ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા હોય, તેવી ઘટનાઓ સામે આવી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ચારેક જગ્યાએ પશુઓના માથા-માસ મળી આવતા ચકચાર મચી જવા પામેલ છે, ત્યારે હિંદુ સંગઠનોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખાસ કરીને વાત કરીએ તો ગતરોજ ગ્રીડ પાસે કૃષ્ણકુંજ સોસાયટી પાસે તેમજ આજે સાંજે ૮૦ ફુટ રોડ ઉપર પશુનું માથુ કપાયેલ સાથે માસના ટુકડાઓ મળી આવતા લોકો ભેગા થયા હતા. કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા આ કૃત્ય કરાતા આ ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે, સ્થાનિક પોલીસે આ ઘટના બાદ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરમાં ૪ જગ્યાએ પશુ-માસ મળી આવતા અજાણ્યા ઈસમો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અસામાજીક તત્ત્વો દ્વારા ષડયંત્ર રચી આણંદ પોલીસને પડકાર ફેંકતા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ઘટનાઓ બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Other News : આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા

Related posts

બોરસદના વહેરા ગ્રામ પંચાયતમાં આવેલ ચાર મકાનના વિસ્‍તારને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર

Charotar Sandesh

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે આણંદના બીએપીએસ મંદિરની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્‍યા

Charotar Sandesh

સાવધાન… નહીં તો આબરૂ અને પૈસા બંને ગુમાવશો : સાયબર ક્રાઈમ કરતી ગેંગ સક્રિય

Charotar Sandesh