Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

માર્ગો વન-વે

આણંદ : શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા શહેરના કેટલાક રૂટ ઉપર તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવેલ છે.

જે અંતર્ગત આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી ત૨ફ જઈ શકાશે પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહી. તેવી જ રીતે જુના બસ સ્ટેશનથી ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) તરફ વાહનો જઈ શકશે પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) થી જુના બસ સ્ટેશન તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધ સરકારી વાહનોએમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યકિત કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Other News : આણંદ શહેરના આ કેટલાક સ્થળો ૩૦ માર્ચ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા : જુઓ વિગત

Related posts

ખંભાતમાં વધુ એક કોરોના પોઝિટિવ : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૮ થઈ, રાજ્યમાં કુલ ૪૯૩

Charotar Sandesh

કોરોના મહામારીના સમયે વ્રજભૂમિ સ્કૂલ મોગર દ્વારા ફી મંગાવતા વાલીઓમાં ભારે નારાજગી…

Charotar Sandesh

કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાં પૂર્વ સાંસદ દિલીપ પટેલને હોસ્પિટલમાંથી રજા અપાઈ…

Charotar Sandesh