પોલિસ સ્ટેશનોમાં યોજોયેલી શાંતિ સમિતિની બેઠકો બાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં
ડાકોર : આગામી અષાઢી બીજ પહેલી તારીખે ડાકોર સહિત રાજ્યભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, નોંધનીય છે કે કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ધુમધામથી રથયાત્રા (rathyatra) નું આયોજન કરાશે ત્યારે જિલ્લા પોલિસો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ખેડા જિલ્લામાં ડાકોર સહિત અલગ અલગ જગ્યાએ રથયાત્રા (rathyatra) નીકળનાર છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર યોજાય તે માટે પોલીસે શાંતિ સમિતીની બેઠકો યોજી ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ વખતે યોજાનાર રથયાત્રામાં બોડીવોર્ડ કેમેરાનો પણ ઉપયોગ કરાશે અને બાજ નજર રખાશે.
ખેડા જિલ્લામાં મહેમદાવાદ, નડિયાદ, મહુધા, માતર, કપડવંજ સહિતના તાલુકામાં રથયાત્રા (rathyatra) યોજાશે. ડાકોરમાં યોજાનાર રથયાત્રા લગભગ ૧૦ કિલોમીટર જેટલી થી લાંબી હોય છે, સવારે નીજ મંદિરથી નીકળી ભજન મંડળીઓ, ઘોડા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાય છે, પ્રસાદમાં છાશ, મગ અને પાણીનું વિતરણ કરતા વાહનો પણ જોડાય છે, ૨૫૦મી રથયાત્રામાં ૮૯ વર્ષ જુના અને અંદાજીત ૪૦૦ તોલા-ચાંદીના રથયાત્રા (rathyatra) માં ડાકોરના ઠાકોરજી બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળે છે.
Other News : નડિયાદ ડીવીઝનના પાંચ પોલીસ સ્ટેશનોના ગુનામાં ઝડપાયેલ ૩.૩૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો