આણંદ શહેર સહિત જિલ્લામાં ૪૨ ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં યુવકની હત્યાની દુઃખદ ધટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય કરી મુસ્લિમ સમાજ સાદગીપૂર્ણ રીતે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરશે.
જિલ્લામાં દસ દસ દિવસનું મોંઘેરું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ ગણેશજી આજે વિદાય લઈ રહયા છે, ત્યારે વિવિધ શહેરો અને ગામોમાં આજે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળશે.
આજે હઝરત મહંમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ હોઈ મુસ્લિમ બિરાદરો જશને ઇદ એ મિલાદુન્નબીનું ઝુલુસ કાઢશે
જિલ્લામાં આજે ૧૪ ગામોમાં ઇદ એ મિલાદનું ઝુલુસ નીકળશે, જ્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં ૪૨ ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં યુવકની હત્યાની દુઃખદ ધટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય કરી મુસ્લિમ સમાજ સાદગીપૂર્ણ રીતે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરશે.
Other News : આણંદ-ખેડા-વડોદરા સહિત ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી