Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આ તારીખે પેટલાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે : ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ

રોજગાર ભરતી મેળો

આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૧૯/૦૪/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે પેટલાદ તાલુકાના સુણાવ સ્થિત આર. કે. ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ (આઈ.ટી.આઈ) ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના એસ.એસ.સી, એચ.એસ.સી, ડિપ્લોમા ડિગ્રી તથા કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

Other News : રાજ્યમાં હિટવેવની સાથે હવે માવઠાની આગાહી : આ શહેરોમાં કમોસમી વરસાદની સંભાવના

Related posts

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

Charotar Sandesh

ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક મોડલ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા આણંદના રસ્તાઓ ચકાચક

Charotar Sandesh