Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતમાં અંજપાભરી શાંતિ વચ્ચે પોલીસની ચાંપતી નજર : મૃતકની સ્મશાનયાત્રા નીકળી

ખંભાતમાં પોલીસ

ખંભાતમાં એસઆરપીની ચાર ટુકડી સહિત સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો

આણંદ : ખંભાતના શક્કરપુર, ચકડોળ ગ્રાઉન્ડ અને ટાવર બજાર પાસે થયેલી જુથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને ચારને ઈજાઓ પહોંચી છે. તોફાનીઓએ પાંચ જેટલી લારી, કેબિનો બે દુકાનો અને એક મકાનને આગ ચાંપી દીધી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી નવ જેટલા તોફાનીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે બીજા શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટનામાં મૃતકના પરિવારજનો દ્વારા આર્થિક સહાયની માંગણી કરવામાં આવી છે

દરમ્યાન આજે સવારે પીએમ બાદ મૃતક કનૈયાલાલ રાણાના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવેલ, જેમાં તેમના નિવાસસ્થાનેથી સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખંભાતના નાગરિકો જોડાયા હતા.

કોમી તોફાનના વધુ કોઈ પડઘા ન પડે તે માટે રેન્જ આઈજી વી. ચંન્દ્રશેખર, ડીએસપી અજીત રાજીયાન સહિત ઉચ્ચ પોલિસ અધિકારીઓનો સ્ટાફ હાજર રહ્યો હતો, સ્થિતિ ઉપર પોલીસ ચાંપતી નજરો રાખી રહ્યા છે, ચાર જેટલી એસઆરપીની ટુકડીઓ અને શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

Other News : ખંભાતમાં ઉશ્કેલી કરવા બદલ ૩ મૌલવી તેમજ ૮ જેટલા શખ્સોની અટકાયત કરાઈ, ૧ વ્યક્તિનું મોત

Related posts

લાઇટબિલમાં “અવસર લોકશાહીનો’ સુત્રને સ્થાન આપી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ

Charotar Sandesh

પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ : ૩.૩૧ કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ

Charotar Sandesh

આણંદના વધુ ર વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવશે : લિસ્ટ મુજબ કુલ ૧૮ વિદ્યાર્થીઓ ફસાયેલ છે

Charotar Sandesh