ગુજરાતમાં ૨૪ કલાકમાં ૫૭૨ કેસ નોંધાયાં
આણંદ જિલ્લામાં નવા ૪ કેસો સામે આવ્યા, જ્યારે ૯ દર્દીઓ સાજા થયા
અમદાવાદ : રાજ્યમાં કોરોના (corona) ના કેસોમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૨ કેસો નોંધાવા પામેલ છે, જ્યારે ૪૮૯ દર્દી સાજા થયેલ છે. કુલ કોરોના (corona) નો આંકડો ૩૫૯૫ થયો છે, જ્યારે ગુજરાતમાં કોરોના (corona) નો રિક્વરી રેટ ઘટીને ૯૮.૮૨ ટકા નોંધાયેલ છે,
રાજ્યમાં આજે એક પણ દર્દીનું કોરોનાથી મોત થયેલ નથી
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ આંકડો ૧૨ લાખ ૩૪ હજાર ૬૮૯ના રિપોર્ટ પોઝિટિવ નોંધાયેલ છે, મૃત્યુનો કુલ આંક ૧૦ હજાર ૯૪૮ પર સ્થિર છે, જ્યારે અત્યાર સુધીમાં ૧૨ લાખ ૨૦ હજાર ૧૪૬ દર્દી ડિસ્ચાર્જ થયેલ છે. એક્ટિવ કેસની સંખ્યા જોઈએ તો, ગુજરાતમાં હાલ ૩૫૯૫ એક્ટિવ કેસ છે, ૧ દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ ૩૫૯૪ દર્દીઓની હાલત સ્થિર નોંધાયેલ છે.
Other News : સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકરે ગાંધીનગરમાં લીધી હતી