Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા સિરપ કાંડમાં ભાજપના કોષાધ્યક્ષ કિશોર સોઢાની સંડોવણી બહાર આવતા ભાજપે પદ પરથી દુર કર્યો

કોષાધ્યક્ષ કિશોર સોઢા

ખેડા જિલ્લામાં ઝેરીલી સીરપ પીવાથી થયેલ મોતની ઘટનામાં ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ, તેમાંથી એક ભાજપનો કોષાધ્યક્ષ હતો

નડિયાદ : ખેડા પંથકમાં ઝેરીલી સીરપ પીવાથી થયેલ મોતની ઘટનામાં ત્રણ શંકાસ્પદ આરોપીમાં ભાજપના કોષાધ્યક્ષ કિશોર સોઢા પણ હતો, જો કે ભાજપ દ્વારા કાર્યવાહી કરાતાં Syrup કાંડના આરોપસર તેને પદ પરથી દૂર કરાયા છે.

વધુમાં, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી ૫ લોકોના મોત થયા હતા. મોતની ઘટના બાદ તપાસ કરતા સામે આવ્યું કે મૃતકોમાંથી ૩ લોકોએ આયુર્વેદિક સિરપ પીધુ હતુ. જેના લીધી તેઓના મોત નિપજ્યાં છે. આજે વધુ એકનો ભોગ લેવાયો છે, આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આયુર્વેદિક કફ Syrup નું વેચાણ અને સપ્લાય કરનાર ૩ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

Other News : ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ

Related posts

નડિયાદ MGVCL કચેરીમાં કોરોના વિસ્ફોટ, ૨૫ કર્મચારીઓ પોઝિટિવ…

Charotar Sandesh

જિલ્લામાં આણંદ સહિત ૬ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ…

Charotar Sandesh

હવે ખાનગી સોસાયટીઓનાં કામોમાં ધારાસભ્યો-કોર્પોરેટરો ૨૦% ગ્રાન્ટ ફાળવી શકશે : જાણો વિગત

Charotar Sandesh